Budget 2019: બજેટમાં મીડલ ક્લાસને ઝટકો, પેટ્રૉલ-ડિઝલ થયુ મોંઘુ, ઇન્કમ ટેક્સમાં ના મળી રાહત

આ વખતે કેન્દ્રીય બજેટ નિર્મલા સીતારમણ રજૂ કરશે. સીતારમણ સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરનારી પહેલી ફુલ ટાઈમ નાણાં મંત્રી છે. આ પહેલા ઈન્દિરા ગાંધી કેન્દ્રીય બજેટ પણ રજૂ કરી ચૂક્યા છે. પરંતુ તેઓ ફુલ ટાઈમ નાણાં મંત્રી નહોતા.

एबीपी माझा वेब टीम Last Updated: 05 Jul 2019 02:24 PM
સોનુ, પેટ્રૉલ, ડીઝલ, તમાંકુ મોંઘુ થયુ, સોના પર ટેક્સ વધારીને 10 ટકા ટેક્સથી વધારીને 12.5 ટકા કરી દેવામાં આવ્યો છે. તંમાકુ પર પણ વધારાનો ટેક્સ લગાવવામાં આવ્યો. પેટ્રૉલ-ડીઝલ પર 1-1 રૂપિયાનો વધારાનો સેસ લગાવવામાં આવશે
મોદી સરકારે અમીરોનો ટેક્સ વધારી દીધો, હવે 2 થી 5 કરોડ રૂપિયા વાર્ષિક કમાવનારાઓને 3 ટકા ટેક્સ આપવો પડશે. આ ઉપરાંત 5 કરોડથી વધુની વાર્ષિક ઇન્કમવાળા લોકોએ 7 ટકા ટેક્સ આપવો પડશે
મોદી સરકારે અમીરોનો ટેક્સ વધારી દીધો, હવે 2 થી 5 કરોડ રૂપિયા વાર્ષિક કમાવનારાઓને 3 ટકા ટેક્સ આપવો પડશે. આ ઉપરાંત 5 કરોડથી વધુની વાર્ષિક ઇન્કમવાળા લોકોએ 7 ટકા ટેક્સ આપવો પડશે
જો કોઇ વ્યક્તિ બેન્કમાંથી એક વર્ષમાં એક કરોડથી વધુની રકમ ઉપાડશે તો તેના પર 2%નો TDS આપવો પડશે. એટલે કે વાર્ષિક 1 કરોડ રૂપિયાથી વધુની રકમ ઉપાડવા પર 2 લાખ રૂપિયા ટેક્સમાં જ કપાઇ જશે
ઇન્કમટેક્સ માટે મોદી સરકારની મોટી જાહેરાત, લોકો હવે પોતાના આધાર કાર્ડથી પણ ઇન્કમ ટેક્સ ભરી શકશે. એેટલે કે પાન કાર્ડ હોવુ જરૂરી નથી, પાન અને આધાર કાર્ડથી કામ થઇ જશે
ઇન્કમટેક્સ માટે મોદી સરકારની મોટી જાહેરાત, લોકો હવે પોતાના આધાર કાર્ડથી પણ ઇન્કમ ટેક્સ ભરી શકશે. એેટલે કે પાન કાર્ડ હોવુ જરૂરી નથી, પાન અને આધાર કાર્ડથી કામ થઇ જશે
ઇન્કમટેક્સ માટે મોદી સરકારની મોટી જાહેરાત, લોકો હવે પોતાના આધાર કાર્ડથી પણ ઇન્કમ ટેક્સ ભરી શકશે. એેટલે કે પાન કાર્ડ હોવુ જરૂરી નથી, પાન અને આધાર કાર્ડથી કામ થઇ જશે
ઘર ખરીદવા પર ટેક્સની છૂટ આપવામાં આવી. હાઉસિંગ લૉનના વ્યાજ પર 3.5 લાખ રૂપિયા સુધીની છૂટ મળશે. અત્યારે 2 લાખ રૂપિયાના વ્યાજ પર ટેક્સ છૂટ મળી રહી છે. આ અંતર્ગત 45 લાખ રૂપિયા સુધીના ઘર ખરીદનારાઓને ટેક્સમાં 3.5 લાખ રૂપિયાની છૂટ મળશે
ઘર ખરીદવા પર ટેક્સની છૂટ આપવામાં આવી. હાઉસિંગ લૉનના વ્યાજ પર 3.5 લાખ રૂપિયા સુધીની છૂટ મળશે. અત્યારે 2 લાખ રૂપિયાના વ્યાજ પર ટેક્સ છૂટ મળી રહી છે. આ અંતર્ગત 45 લાખ રૂપિયા સુધીના ઘર ખરીદનારાઓને ટેક્સમાં 3.5 લાખ રૂપિયાની છૂટ મળશે
નાણામંત્રીએ જાહેરાત કરી કે 400 કરોડ રૂપિયા સુધીના ટર્નઓવર વાળી કંપનીઓને 25 ટકા કોર્પોરેટ ટેક્સ આપવો પડશે. આમાં દેશની 99 ટકા કંપનીઓ આવી જશે. ઇ વાહનો પર GSTને 12 ટકાથી ઘટાડીને 5 ટકા આપવામાં આવશે. આની સાથે જ સ્ટાર્ટઅપને એન્જલ ટેક્સ નહીં આપવો પડશે, સાથે ઇન્કમ ટેક્સ વિભાગ પણ આની તપાસ નહીં કરે
નાણામંત્રીએ બજેટમાં કહ્યું કે, સરકાર 1 રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા અને 20 રૂપિયાના નવા સિક્કા લાવશે
અમારી સરકારનું લક્ષ્ય 17 પર્યટન સ્થળોને વિશ્વ સ્તરના બનાવવામાં આવશે. સુધારાના દમ પર NPAને પાછા લઇ લીધા છે. દેશમાં ક્રેડિટ ગ્રૉથ 13 ટકાથી ઉપર આવ્યો છે
અમારી સરકારનું લક્ષ્ય 17 પર્યટન સ્થળોને વિશ્વ સ્તરના બનાવવામાં આવશે. સુધારાના દમ પર NPAને પાછા લઇ લીધા છે. દેશમાં ક્રેડિટ ગ્રૉથ 13 ટકાથી ઉપર આવ્યો છે
વિદેશમાં રહેનારા ભારતીયો માટે સરકારે મોટી જાહેરાત કરી છે. હવે NRIને ભારતમાં આવતાની સાથે જ આધાર કાર્ડ આપવાની સુવિધા મળશે. સાથે તેમને 180 દિવસો સુધી ભારતમાં રહેવાની જરૂર નથી
રેલવે સ્ટેશનોને અતિઆધુનિક બનાવવામાં આવશે અને રેલવેના મોર્ડનાઇઝેશન પર કામ થશે. સરકાર ગામડાં, ગરીબ અને ઉદ્યોગો પર જોર આપી રહી છે
ગ્રામીણ અર્થવ્યવસ્થામાં મહિલાઓની ભાગીદારી ઝડપથી વધી રહી છે, અને તેના માટે નારી તુ નારાયણી અમારો મંત્ર છે. મોદી સરકારની યોજનાઓથી મહિલા ઉદ્યમતાને પ્રોત્સાહન મળી રહ્યું છે
નિર્મલા સીતારમણે કહ્યું કે, મહિલાઓની ભાગીદારીને દરેક ક્ષેત્રોમાં વિસ્તારાશે. ચૂંટણીમાં પણ, આ વખતે સૌથી વધુ 78 મહિલા સાંસદ ચૂંટાઇને સંસદ પહોંચી છે. જનધન ખાતાઓ અંતર્ગત જે મહિલાઓના ખાતા ખુલ્યા છે તેમને 5000 રૂપિયા સુધીના ઓવરડ્રાફ્ટની સુવિધા મળી શકશે. ઉપરાંત મુદ્રા લોન અંતર્ગત 1 લાખ રૂપિયા સુધીની લૉન પણ આવી મહિલાઓને મળી શકશે
નિર્મલા સીતારમણે કહ્યું કે, મહિલાઓની ભાગીદારીને દરેક ક્ષેત્રોમાં વિસ્તારાશે. ચૂંટણીમાં પણ, આ વખતે સૌથી વધુ 78 મહિલા સાંસદ ચૂંટાઇને સંસદ પહોંચી છે. જનધન ખાતાઓ અંતર્ગત જે મહિલાઓના ખાતા ખુલ્યા છે તેમને 5000 રૂપિયા સુધીના ઓવરડ્રાફ્ટની સુવિધા મળી શકશે. ઉપરાંત મુદ્રા લોન અંતર્ગત 1 લાખ રૂપિયા સુધીની લૉન પણ આવી મહિલાઓને મળી શકશે
રમતોના વિકાસ માટે બોર્ડ બનાવવામાં આવશે, 1 કરોડ વિદ્યાર્થીઓ માટે સ્કિલ યોજના લાવવામાં આવશે. સ્ટાર્ટઅપ માટે ટીવી ચેનલ ખુલશે. ઉજાલા યોજના અંતર્ગત 35 કરોડ એલઇડી બલ્બ અત્યાર સુધી વેચવામાં આવી ચૂક્યા છે. આ યોજના દ્વારા હવે દેશના 18341 કરોડ રૂપિયા બચાવાયા છેઃ નાણામંત્રી
રાજઘાટ પર રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર બનાવવામાં આવશે, સાથે ખેલો ભારત યોજનાની જાહેરાત કરવામાં આવશે. અમારુ લક્ષ્ય ઓનલાઇન કોર્સનો પ્રોત્સાહન આપવાનુ છે. દેશમાં 'અધ્યયન' કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે, આ અંતર્ગત વિદેશી વિદ્યાર્થીઓને ભારતમાં બોલાવવામાં આવશે. ઉચ્ચ શિક્ષણ માટે અલગથી કાયદા અને ડ્રાફ્ટ રજૂ કરવામાં આવશે
સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે, અમે નવી શિક્ષણ નીતિ લાવીશુ. શિક્ષણ નીતિ પર અનુસંધાન કેન્દ્ર પણ બનાવવામાં આવશે. રાષ્ટ્રીય અનુસંધાન પ્રતિષ્ઠાન (National Research Foundation) બનાવવાની જાહેરાત કરાઇ. આદર્શ ભાડુ કાયદો પણ બનાવવામાં આવશે. સરકાર ઉચ્ચ શિક્ષણ માટે 400 કરોડ રૂપિયા ખર્ચ કરશે. દુનિયાની ટૉપ 200 કૉલેજમાં ભારતના માત્ર 3 કૉલેજ જ છે, આવામાં સરકાર આ સંખ્યાને વધારવા પર જોર આપી રહી છે
નાણામંત્રીએ જાહેરાત કરી કે 2014 બાદ 9.6 કરોડ શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યુ છે. 5.6 લાખ ગામડા આજે દેશમાં ખુલ્લામાં શૌચથી મુક્ત થયા છે.
સ્વચ્છ ભારત મિશનના વિસ્તાર માટે સરકાર પ્રતિબદ્ધ છે. અત્યાર સુધી 2 કરોડ લોકોને ડિજીટલ રીતે સાક્ષર બનાવવામાં આવ્યા છે. ગ્રામીણ-શહેરી અંતરને ઓછુ કરવા સરકાર ડિજીટલ સેક્ટરને પ્રોત્સાહિત કરી રહી છે
સ્વચ્છ ભારત મિશનના વિસ્તાર માટે સરકાર પ્રતિબદ્ધ છે. અત્યાર સુધી 2 કરોડ લોકોને ડિજીટલ રીતે સાક્ષર બનાવવામાં આવ્યા છે. ગ્રામીણ-શહેરી અંતરને ઓછુ કરવા સરકાર ડિજીટલ સેક્ટરને પ્રોત્સાહિત કરી રહી છે
સીતારમણે કહ્યું કે, અમારી સરકારે પાણી માટે જલશક્તિ મંત્રાલયનું ગઠન કર્યુ છે. પાણી પુરવઠાના લક્ષ્યને લાગુ કરવામાં આવશે. 1500 બ્લૉકની ઓળખ કરવામાં આવી છે, આના મારફતે દરેક ઘર સુધી પાણી પહોંચાડવામાં આવશે. સરકારનુ લક્ષ્ય 2024 સુધી દરેક ઘર સુધી પાણી પહોંચાડવાનું છે
સીતારમણે કહ્યું કે, અમારી સરકારે પાણી માટે જલશક્તિ મંત્રાલયનું ગઠન કર્યુ છે. પાણી પુરવઠાના લક્ષ્યને લાગુ કરવામાં આવશે. 1500 બ્લૉકની ઓળખ કરવામાં આવી છે, આના મારફતે દરેક ઘર સુધી પાણી પહોંચાડવામાં આવશે. સરકારનુ લક્ષ્ય 2024 સુધી દરેક ઘર સુધી પાણી પહોંચાડવાનું છે
નાણામંત્રીએ પોતાના ભાષણમાં કહ્યું કે, 10 હજાર નવા ખેડૂત ઉત્પાદક સંઘ બનાવવામાં આવશે. દેશમાં 100 નવા ક્લસ્ટર બનાવાશે. કૃષિ અવસંચરનામાં રોકાણ વધારાશે. અન્નાદાતા હવે ઉર્જાદાતા બની શકશે. ખેડૂતોના પાકોને યોગ્ય રકમ અપાવવાનું કામ અમારી સરકારનું છે
બહારના રોકાણકારો માટે સરળ કેવાયસી નોર્મ્સ બનાવવામાં આવશે. સરકાર દેશમાં કારોબાર વધારવા પર ધ્યાન આપી રહી છે. એમએસએમઆઇ માટે ઓનલાઇન પોર્ટલ બનાવવામાં આવશેઃ નાણામંત્રી
છેલ્લા 1000 દિવસોમાં એક દિવસમાં 130 થી 135 કિલોમીટરના નવા રૉડ બની રહ્યાં છે. પહેલા 314 દિવસોમાં ઘરો બનતા હતા અને હવે માત્ર 114 દિવસોમાં જ ઘરો બની રહ્યાં છે
નાણામંત્રીએ બજેટમાં કહ્યું 2022 સુધી દેશના દરેક ઘરમાં પહોંચશે વિજળી, નાના દુકાનદારોને આપવામાં આવશે પેન્શન
નાણામંત્રીએ બજેટમાં કહ્યું 2022 સુધી દેશના દરેક ઘરમાં પહોંચશે વિજળી, નાના દુકાનદારોને આપવામાં આવશે પેન્શન
નાણામંત્રીએ બજેટમાં કહ્યું 2022 સુધી દેશના દરેક ઘરમાં પહોંચશે વિજળી, નાના દુકાનદારોને આપવામાં આવશે પેન્શન
સીતારમણે કહ્યું ગામડા, ગરીબ અને ખેડૂત અમારી યોજનાના કેન્દ્રબિન્દુ છે અને આમના માટે સરકાર મોટા પગલા ભરી રહી છે. ઉજ્જવલા યોજના અંતર્ગત સરકારે 7 કરોડ ગેસ કનેક્શન આપ્યા છે અને હજુ કામ ચાલુ છે
સરકારનું લક્ષ્ય ભારતને મૉસ્ટ ફેવરેટ એફડીઆઇ દેશ બનાવવાનું છે, આ દિશમાં સરકાર કામ કરી રહી છે, હું માટે પ્રસ્તાવ મુકી રહી છું, નિર્મલા સીતારમણ
એફડીઆઇમાં ભારતમાં સારુ રોકાણ આવ્યુ, ગયા વર્ષની સરખામણીમાં 6 ટકા વધ્યુ. નાણામંત્રીએ કહ્યું કે, એવિએશન, મીડિયા, ઇન્શ્યોરન્સ સેક્ટરમાં સારુ એવુ રોકાણ વધુ. સરકાર વીમાં 100 રોકાણ કરવાનું વિચારી રહી છે
એફડીઆઇમાં ભારતમાં સારુ રોકાણ આવ્યુ, ગયા વર્ષની સરખામણીમાં 6 ટકા વધ્યુ. નાણામંત્રીએ કહ્યું કે, એવિએશન, મીડિયા, ઇન્શ્યોરન્સ સેક્ટરમાં સારુ એવુ રોકાણ વધુ. સરકાર વીમાં 100 રોકાણ કરવાનું વિચારી રહી છે
આ ઉપરાંત સરકારે MROની ફોર્મ્યૂલા અપનાવવાની વાત કહી, જેમાં મેન્યૂફેક્ચરિંગ, રિપેર અને ઓપરેટનો ફોર્મ્યૂલા લાગુ કરવામાં આવશે
સરકાર તરફથી નેશનલ ટ્રાન્સપોર્ટ કાર્ડની જાહેરાત કરવામાં આવી. જેનો ઉપયોગ રેલવે અને બસોમાં કરવામાં આવશે. આને રૂપે કાર્ડથી ચલાવવામાં આવશે. જેમાં બસની ટિકીટ, પાર્કિંગનો ખર્ચો, રેલની ટિકીટ બધુ એકસાથે કરી શકાશે
નાણામંત્રીએ કહ્યુ, હાલમાં દેશમાં 650 કિલોમીટર લાંબી મેટ્રો લાઇન છે અને તેને હજુ વધારાવાની યોજના બનાવવામાં આવી છે. 2019માં 210 કિલોમીટર લાંબી મેટ્રૉ લાઇન બનાવવાની યોજના છે.
નાણામંત્રીએ કહ્યુ, હાલમાં દેશમાં 650 કિલોમીટર લાંબી મેટ્રો લાઇન છે અને તેને હજુ વધારાવાની યોજના બનાવવામાં આવી છે. 2019માં 210 કિલોમીટર લાંબી મેટ્રૉ લાઇન બનાવવાની યોજના છે.
રેલવેમાં પીપીપી મૉડલ આવશે. વીજળી માટે વન નેશન, વન ગ્રિડની યોજના લાવવામાં આવી રહી છે. ઉપરાંત રેલવેમાં પબ્લિક, પ્રાઇવેટ પાર્ટનરશિપના મૉડલ પર કામ થઇ રહ્યું છે
નાણામંત્રીએ કહ્યું- સરકાર બધાને ઘર આપવાની યોજના પર કામ કરી રહી છે, 2022 સુધી બધાને આવાસ મળશે. ઉપરાંત લૉન વ્યવસ્થા, છુટક વેપારી માટે સરકાર પેન્શન યોજના લાવવા જઇ રહી છે, આ યોજના અંતર્ગત 3 કરોડ નાના દુકાનદારો માટે પેન્શન આપવાનું કામ કરાશે
નાણામંત્રીનો શાયરાના અંદાજ... બજેટ વાંચતી વખતે નિર્મલા સીતારમણે પોતાના ભાષણમાં એક શાયરી પણ વાંચી.. નિર્મલાએ કહ્યું કે, 'યકીન હો તો કોઇ રાસ્તા નિકલતા હૈ, હવા કી ઓટ ભી લેકર ચિરાગ જલતા હૈ'. આ શાયરી પ્રખ્યાત શાયર મંજૂર હાશમીની છે
નાણામંત્રીનો શાયરાના અંદાજ... બજેટ વાંચતી વખતે નિર્મલા સીતારમણે પોતાના ભાષણમાં એક શાયરી પણ વાંચી.. નિર્મલાએ કહ્યું કે, 'યકીન હો તો કોઇ રાસ્તા નિકલતા હૈ, હવા કી ઓટ ભી લેકર ચિરાગ જલતા હૈ'. આ શાયરી પ્રખ્યાત શાયર મંજૂર હાશમીની છે
નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં અનેક યોજનાઓનો ઉલ્લેખ કર્યો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રૉડ-રસ્તાં, નેશનલ હાઇવે, ગામડાઓનો વિકાસ વગેરેના વિકાસની યોજના બતાવી. ઉપરાંત મુદ્રા યોજના, સાગરમાલા, મેક ઇન ઇન્ડિયા જેવી યોજનાઓ પર જોર મુકવાની વાત કહી
નાણામંત્રીએ બજેટમાં આવનારા દસ વર્ષનું લક્ષ્ય રજૂ કર્યુ, કહ્યું આગામી થોડાક વર્ષોમાં આપણી અર્થવ્યવસ્થા 5 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી જશે. પ્રદુષણ મુક્ત ભારત, ચિકિત્સા ઉપકરણો અને જોર, વૉટર મેનેજમેન્ટ, અંતરિક્ષ કાર્યક્રમ, ચંદ્રયાન, ગગનયાન જેવા પૉઇન્ટ પર લક્ષ્ય મુક્યાં. કહ્યું આપણી અર્થવ્યવસ્થા દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે
નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં નાણાંકીય વર્ષ 2019-20નું બજેટ રજૂ કરી દીધુ છે. તેમને કહ્યું કે, મોદી સરકારે સુધારો, પરફોર્મ અને ટ્રાન્સફર્મ કરવાની નીતિ પર કામ કર્યુ છે. મોદી સરકારે ન્યૂ ઇન્ડિયા તરફ જોર આપ્યુ
નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં નાણાંકીય વર્ષ 2019-20નું બજેટ રજૂ કરી દીધુ છે. તેમને કહ્યું કે, મોદી સરકારે સુધારો, પરફોર્મ અને ટ્રાન્સફર્મ કરવાની નીતિ પર કામ કર્યુ છે. મોદી સરકારે ન્યૂ ઇન્ડિયા તરફ જોર આપ્યુ
બજેટની કેબિનેટની મંજૂરી મળી, હવે થોડીવારમાં સંસદમાં રજૂ થશે મોદી સરકાર-2નું પ્રથમ બજેટ
બજેટની કૉપીઓ સંસદ ભવન પહોંચી ચૂકી છે, જોકે, દરવખતે નાણામંત્રી સંસદ ભવન પહોંચે તે પહેલા બજેટની કૉપીઓ સંસદ ભવન પહોંચી જાય છે, પણ આ વખતે એવુ નથી થયુ. આ વખતે કેબિનેટ બેઠક શરૂ થવાની થોડીવાર હતી ત્યારે બજેટની કૉપીઓ સંસદ ભવન પહોંચી છે
લીલા કપડાંમાં વિટાળેલી બજેટની કૉપીઓ સંસદ ભવન પહોંચી
લીલા કપડાંમાં વિટાળેલી બજેટની કૉપીઓ સંસદ ભવન પહોંચી
કેબિનેટની બેઠક શરૂ થઇ, સીતારમણના બજેટને અપાઇ રહી છે મંજૂરી, હવે થોડીવારમાં લોકસભામાં રજૂ થશે મોદી સરકાર-2નું પ્રથમ બજેટ
કેબિનેટની બેઠક શરૂ થઇ, સીતારમણના બજેટને અપાઇ રહી છે મંજૂરી, હવે થોડીવારમાં લોકસભામાં રજૂ થશે મોદી સરકાર-2નું પ્રથમ બજેટ
જોકે આ વખતે કેન્દ્રીય બજેટ નિર્મલા સીતારમણ રજૂ કરશે. સીતારમણ સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરનારી પહેલી ફુલ ટાઈમ નાણાં મંત્રી છે. આ પહેલા ઈન્દિરા ગાંધી કેન્દ્રીય બજેટ પણ રજૂ કરી ચૂક્યા છે. પરંતુ તેઓ ફુલ ટાઈમ નાણાં મંત્રી નહોતા.
જોકે આ વખતે કેન્દ્રીય બજેટ નિર્મલા સીતારમણ રજૂ કરશે. સીતારમણ સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરનારી પહેલી ફુલ ટાઈમ નાણાં મંત્રી છે. આ પહેલા ઈન્દિરા ગાંધી કેન્દ્રીય બજેટ પણ રજૂ કરી ચૂક્યા છે. પરંતુ તેઓ ફુલ ટાઈમ નાણાં મંત્રી નહોતા.
બજેટ રજૂ કરતાં પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી. હવે તે કેન્દ્રીય કેબિનેટમાં ભાગ લેશે, અહીં બજેટને મંજૂરી મળશે.
બજેટ રજૂ કરતાં પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી. હવે તે કેન્દ્રીય કેબિનેટમાં ભાગ લેશે, અહીં બજેટને મંજૂરી મળશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદ ભવન પહોંચી ગઇ છે. અહીં થોડીવારમાં કેબિનેટની બેઠક થશે, કેબિનેટ બેઠકમાં જ બજેટને મંજૂરી આપવામાં આવશે. ત્યારબાદ લોકસભામાં રજૂ કરવામાં આવશે. 11 વાગે બજેટ રજૂ કરવાની કાર્યવાહી શરૂ થશે.
નાણા મંત્રી નિર્મલા સીતારમણ નાણાંકિય વર્ષ 2019-20 માટે કેન્દ્રીય બજેટ 2019 રજૂ કરશે. લોકસભા ચૂંટણી 2019માં ફરીથી ચૂંટાયા બાદ નરેન્દ્ર મોદી 2.0 સરકાર હેઠળ રજૂ કરવામાં આવી રહેલું આ પહેલું બજેટ છે. લોકસભા ચૂંટણી પહેલા વચગાળાનું બજેટ 2019 પીયૂષ ગોયલે રજૂ કર્યું હતું. અરૂણ જેટલીની બીમારી બાદ પીયૂષ ગોયલને અસ્થાઈ રીતે નાણાં મંત્રીનો કાર્યભાર સોંપાયો હતો.

पार्श्वभूमी

નવી દિલ્હી: નાણા મંત્રી નિર્મલા સીતારમણ નાણાંકિય વર્ષ 2019-20 માટે કેન્દ્રીય બજેટ 2019 રજૂ કરશે. લોકસભા ચૂંટણી 2019માં ફરીથી ચૂંટાયા બાદ નરેન્દ્ર મોદી 2.0 સરકાર હેઠળ રજૂ કરવામાં આવી રહેલું આ પહેલું બજેટ છે. લોકસભા ચૂંટણી પહેલા વચગાળાનું બજેટ 2019 પીયૂષ ગોયલે રજૂ કર્યું હતું. અરૂણ જેટલીની બીમારી બાદ પીયૂષ ગોયલને અસ્થાઈ રીતે નાણાં મંત્રીનો કાર્યભાર સોંપાયો હતો.

જોકે આ વખતે કેન્દ્રીય બજેટ નિર્મલા સીતારમણ રજૂ કરશે. સીતારમણ સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરનારી પહેલી ફુલ ટાઈમ નાણાં મંત્રી છે. આ પહેલા ઈન્દિરા ગાંધી કેન્દ્રીય બજેટ પણ રજૂ કરી ચૂક્યા છે. પરંતુ તેઓ ફુલ ટાઈમ નાણાં મંત્રી નહોતા.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.